28 નવેમ્બરે બપોરે 1 વાગે ગુરુ ગ્રહે મૃગશિરા નક્ષત્રમાંથી રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. રોહિણીને ચંદ્રમાં નક્ષત્ર માનવામાં આવે છે, આ નક્ષત્ર સુખ અને આરામનું પ્રતિક છે. જ્યારે ગુરુ જેવો શુભ ગ્રહ આ નક્ષત્રમાં પ્રવેશે ત્યારે તેનો પ્રભાવ વિશેષ સકરાત્મક હોય છે. ત્યારે કઈ રાશિ પર તેનો શું પ્રભાવ રહેશે તે જાણીએ.
1. રોહિણી નક્ષત્રમાં ગુરુ ગોચર
28 નવેમ્બરે ગુરુ મૃગશિરા નક્ષત્ર માંથી નીકળીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કાર્યો છે. રોહિણી નક્ષત્ર માં ગુરુના પ્રવેશથી તે જાતકોના જીવનમાં સકારાત્મક ઉર્જા અને સફળતા લાવશે. આ નક્ષત્ર પરિવર્તનની અસર દરેક રાશિ પર થશે પરંતુ આ 5 રાશિઓના જાતકોના વૈવાહિક જીવન અન પ્રેમ સંબંધમાં તેની ખાસ અસર જોવા મળશે ત્યારે ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ?
2. વૃષભ
વૃષભ રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ વધશે, એકબીજા સાથે વધુ સમય વિતાવશો. લગ્નના યોગ બની શકે છે. પાર્ટનર સાથે યાત્રાનો યોગ બની શકે છે.
3. કર્ક
વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. કરિયરમાં સફળતા મળશે. પ્રેમમાં સ્થિરતા આવશે અને યાત્રાના યોગ બની શકે છે.
4. કન્યા
લાઈફ પાર્ટનર સાથે મળીને કોઈ નવું કામ કરી શકો છો. પાર્ટનર સાથે એડવેન્ચર સ્પોર્ટ કરવાના યોગ બને છે. પાર્ટનર વચ્ચે રોમૅન્ટિક ભેટની આપ-લે થઈ શકે છે.
5. ધનુ
પારિવારિક જીવન મધુ રહેશે. પતિ-પત્નીને સાથે યાત્રાના યોગ બને છે, પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન પણ થઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે સમજદારી વધશે અને સંબંધમાં મધુરતા આવશે.
6. મકર
વૈવાહિક જીવનમાં ખુશી આવશે. પાર્ટનર સાથે વધુ સમય ગાળવા મળશે. પાર્ટનર સતહ નવા અનુભવો થશે અને નવી યાદો બનાવવાની તક ઊભી થાય તેમ છે.