વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે અને વર્ષની શરૂઆત સાથે જ જ્યોતિષ શાસ્ત્ર મુજબ અમુક ગ્રહો પોતાની ચાલ બદલશે અને ગ્રહ પરિવર્તન કરશે ત્યારે તેની અસર તમામ 12 રાશિઓના જાતકો પર પડશે.
1. રાહુ-કેતુ બદલશે ચાલ
વર્ષ 2025 માં રાહુ-કેતુ ગ્રહો પોતાની ચાલ બદલશે અને ખાસ કરીને 4 રાશિઓના જાતકોને તેનાથી સવિશેષ લાભ કરાવશે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને પાપ ગ્રહો કહેવાય છે.
2. 18 મે 2025માં બદલશે ચાલ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 18 મે 2025 ના રોજ રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં અને કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
3. 4 રાશિઓ પર અસર
વર્ષ 2025 માં રાહુ-કેતુની આ ચાલની અસર 4 રાશિઓ પર ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે, ત્યારે ચાલી જાણીએ કઈ છે આ રાશિઓ.
4. મેષ
આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કરિયરમાં પ્રગતિ થશે અને પરિવાર સાથે પણ તાલમેલ સારો રહેશે. સ્વાસ્થ્ય પણ એકંદરે સારું. અટકેલાં કામ પૂરા થશે અને સંતાન તરફથી સારા સમાચાર મળશે.
5. વૃશ્ચિક
આ રાશિના જાતકોને નવું વાહન કે નવા ગાહર લેવાના યોગ બને છે. તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીમાં પ્રમોશન મળશે.
6. મકર
આ રાશિના જાતકોને રાહુ અને કેતુની કૃપાથી ધન લાભ થશે અને સફળ યાત્રાનું આયોજન પણ થશે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે. વેપારીઓને ધંધામાં ફાયદો થઈ શકે છે. રોકાણમાં લાભ થશે. ખર્ચા નિયંત્રણમાં રહેશે અને આવક બમણી થશે.
7. મીન
આ રાશિના જાતકોને જીવનમાં તરક્કીની તક મળશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે. લાંબા સમયથી ચાલી આવતી ચિંતાનું નિરાકરણ આવશે.