કેનેડાના પ્રોત્સાહનને કારણે ખાલિસ્તાનીઓ એટલા ઉત્સાહિત થઈ ગયા છે કે હવે ખાલિસ્તાનીઓએ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવવાની સીધી ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. ખાલિસ્તાની આતંકવાદી (કેનેડા સ્થિત આતંકવાદી) ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે અને હિન્દુઓના આસ્થાના મુખ્ય કેન્દ્ર રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે.
આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ચીફ પન્નુએ જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, ’16 અને 17 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે.’ કહેવામાં આવી રહ્યું છે કે પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં રામ મંદિર તેમજ અન્ય ઘણા હિંદુ ધાર્મિક સ્થળો સામે હિંસા ભડકાવવાની ધમકી પણ આપવામાં આવી છે.
વીડિયોમાં પન્નુએ આગળ કહ્યું, અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.’ પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક (રામ મંદિર) માટે સીધો ખતરો માનવામાં આવી રહ્યો છે. પન્નુના વિડિયોમાં પીએમ મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા હોવાની તસવીરો પણ જોવા મળે છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પરના ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની ધમકી પણ આપી છે.
ભાગેડુ પન્નુ, જે ભારતમાંથી ફરાર છે, તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. તે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા કરવા ખાલિસ્તાનીઓને ઉશ્કેરવાનું ચાલુ રાખે છે.