હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ હતી. આ ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયા 184 રને જીતી ગયું. આ રીતે યજમાન ટીમ સીરીઝમાં 2-1થી આગળ છે. જણાવી દઈએ કે ભારતીય ટીમને 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ હાર બાદ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ની નિવૃત્તિની અટકળો તેજ થઈ ગઈ છે.
ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત સિડની મેચ બાદ ટેસ્ટમાંથી પણ સંન્યાસ લઈ લેશે. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ રોહિત અને કોહલીની નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે. ગાવસ્કરે કહ્યું કે આ સીરીઝ પછી તેઓ રોહિતને ટેસ્ટ ક્રિકેટમાં જોઈ રહ્યા નથી.
મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન નથી બનાવી રહ્યા કોહલી-રોહિત
રોહિત (Rohit Sharma) અને કોહલી (Virat Kohli) ના ખરાબ ફોર્મ વિશે વાત કરતા ગાવસ્કરે જણાવ્યું કે ‘બંનેએ ન્યૂઝીલેન્ડ સામે (ટેસ્ટ સીરીઝ) પણ રન બનાવ્યા ન હતા. અહીં પણ રન બનાવ્યા નથી. કોહલી (Virat Kohli) ની એક સેન્ચુરી જરૂર છે, પરંતુ એ મેચમાં જયારે તેઓ બેટિંગ કરવા આવ્યા ત્યાં સુધીમાં ભારતીય સ્થિતિ ઘણી મજબૂત હતી.’ તેમણે કહ્યું, ‘પરંતુ તે પછી, જ્યારે એડિલેડ અને બ્રિસ્બેનમાં સ્થિતિ અલગ (મુશ્કેલ) હતી, ત્યાં જે રન બનવા જોઈતા હતા, બંને બેટ્સમેનોથી નથી બન્યા. તેઓ આપણા ખૂબ જ અનુભવી ખેલાડી છે, તેમના પર ઘણું નિર્ભર હોય છે અને એ તેમનાથી નથી થયું. ગાવસ્કરે વધુમાં કહ્યું, ‘યશસ્વી જયસ્વાલ પણ એડિલેડ અને બ્રિસ્બેનમાં વહેલા આઉટ થયા હતા. આ કારણે અન્ય બેટ્સમેનો પર પણ ઘણું દબાણ હતું, જે તેઓ સહન કરી શક્યા નહીં.’
#TeamIndia fought hard
Australia win the match
Scorecard ▶️ https://t.co/njfhCncRdL#AUSvIND pic.twitter.com/n0W1symPkM
— BCCI (@BCCI) December 30, 2024
સિડનીમાં હોઈ શકે છે રોહિતની છેલ્લી ટેસ્ટ
શું સિડની ટેસ્ટ રોહિતની છેલ્લી હોઈ શકે છે? તેના પર ગાવસ્કરે કહ્યું, ‘જો રન નહીં બન્યા તો ચોક્કસ હોઈ શકે છે. કારણ કે આ હાર સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે.’ તેમણે કહ્યું, ‘જ્યારે WTCની આગામી સિઝન (2025-27) જૂનમાં ઇંગ્લેન્ડ પ્રવાસ સાથે શરૂ થશે. ત્યારે 2027 માટે તમે નવા ચહેરા જોવા માંગશો. જે 2027ની ફાઇનલ માટે ઉપલબ્ધ રહેશે એમને જ તમે ઇંગ્લેન્ડ પ્રવાસ પર લઈ જવા માંગશો.’ ગાવસ્કરે કહ્યું કે જો રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) તેમના ફોર્મ કે ટેકનિકમાં સુધારો નહીં કરે તો તેમની ઈલાજ કરવો પડશે. જે રીતે બંને (રોહિત-કોહલી) આઉટ થઈ રહ્યાં છે, તે જોઈને લાગે છે કે કોઈ જુદો જ મામલો છે, તો ઈલાજ કરવો પડશે.
આ સીરીઝમાં કોહલી-રોહિતની હાલત ખરાબ
યશસ્વી જયસ્વાલે વર્તમાન સીરીઝની પ્રથમ 4 ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી વધુ 359 રન બનાવ્યા છે. કોહલી (Virat Kohli) આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે, જેણે 7 ઇનિંગ્સમાં 167 રન બનાવ્યા છે. આ દરમિયાન એક સદી ફટકારી છે. જ્યારે કેપ્ટન રોહિત (Rohit Sharma) ની હાલત ખૂબ જ ખરાબ છે. કેપ્ટન રોહિતે અત્યાર સુધી 3 ટેસ્ટ મેચની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની એવરેજ પણ 6.20 રહી, જે ઘણી ખરાબ છે. ફાસ્ટ બોલર આકાશ દીપે રોહિત કરતા વધુ રન બનાવ્યા છે. આકાશે 3 ઇનિંગ્સમાં 38 રન બનાવ્યા છે.