તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. વાસ્તવમાં આજે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે અને જો આરોપોમાં સત્યનો અંશ પણ હોય તો તે અસ્વીકાર્ય છે. કોર્ટે કહ્યું છે કે, વરિષ્ઠ કેન્દ્રીય અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરીને નવેસરથી તપાસ કરવામાં આવે. તેનાથી લોકોનો આત્મવિશ્વાસ વધશે. સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની SITની રચના કરવાનો આદેશ આપ્યો છે જેમાં CBI, પોલીસ અને FSSAIના અધિકારીઓ સામેલ હશે.
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ પર કેસની સુનાવણી કરતા જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, રાજ્યની SIT હવે આ કેસની તપાસ નહીં કરે. તેમણે કહ્યું કે, તેમને આરોપો અને પ્રતિઆક્ષેપોમાં કોઈ રસ નથી. કોર્ટનો ઉપયોગ રાજકારણ માટે થવા દેવામાં આવશે નહીં. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અમે અખબારમાં વાંચ્યું છે કે, મુખ્યમંત્રીએ કહ્યું કે, તપાસ કરવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી.
Tirupati Laddu Prasadam issue | Advocate Satyam Singh says "Supreme Court has ordered for the independent SIT constituted by 2 people from CBI, 2 from state police and 1 from Food Safety Authority and Supreme Court has disposed of the petition by commenting that if there will be… pic.twitter.com/IdDaBcaCXg
— ANI (@ANI) October 4, 2024
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજકારણ કરોડો લોકોની આસ્થા પર હાવી થઈ રહી છે. આવી સ્થિતિમાં CBIના 2, રાજ્ય સરકારના 2 અને FSSAIના એક અધિકારીની ટીમ સ્વતંત્ર રીતે કેસની તપાસ કરશે. કોર્ટે કહ્યું કે, લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવી હોવાની દલીલમાં જો કોઈ તત્વ હોય તો તે ગંભીર મુદ્દો છે. આ કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે અને તેથી તેના પર રાજનીતિ યોગ્ય નથી.
Supreme Court orders a fresh independent SIT into the allegations of use of animal fat to make laddus to serve as prasadam at the Sri Venkateswara Swamy Temple in Tirumala, Andhra Pradesh, where Lord Venkateswara is worshipped. https://t.co/FnGRyYpD7S
— ANI (@ANI) October 4, 2024
નોંધનિય છે કે, આ કેસની સુનાવણી ગુરુવારે જ થવાની હતી. જોકે તુષાર મહેતાએ શુક્રવારે સવારે આ અંગે જવાબ આપવા માટે પરવાનગી માંગી હતી અને બેન્ચે તેમની વિનંતી સ્વીકારી હતી. અગાઉ 30 સપ્ટેમ્બરના રોજ સુનાવણી દરમિયાન મહેતાએ કહ્યું હતું કે, રાજ્ય દ્વારા નિયુક્ત SIT દ્વારા તપાસ ચાલુ રાખવી જોઈએ અથવા તે સ્વતંત્ર એજન્સી દ્વારા થવી જોઈએ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, લાડુ બનાવવામાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ થયો હોવાના કયા પુરાવા છે. આ સાથે કોર્ટે કહ્યું હતું કે, દેવતાઓને રાજનીતિથી દૂર રાખવા જોઈએ.