મંગળવારનો દિવસ હિન્દુ માન્યતા અનુસાર હનુમાનજીને સમર્પિત છે જે શક્તિ, ભક્તિ અને સાહસના પ્રતિક છે. જ્યોતિષના મત અનુસાર આ દિવસે અમુક કાર્યો વર્જિત છે, જો આ દિવસે અમુક કાર્યો કરવાંઆ આવે તો તેનું નકારાત્મક પરિણામ આવી શકે છે. ત્યારે ચાલો જાણીએ કે મંગળવારના દિવસે કયા કામ ના કરવા જોઈએ.
ઉધાર આપવા કે લેવા નહીં
મંગળવારના દિવસે કોઈને પણ ઉધાર રૂપિયા આપવાથી કે કોઇની પાસેથી ઉછીના લેવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આજના દિવસે ઉછીના લીધેલા પૈસા પાછા આપવામાં અડચણો આવે છે કે ઉછીના આપેલ પૈસા પાછા આવતા નથી.
ધારદાર વસ્તુઓ ના ખરીદો
આ દિવસે ચપ્પુ, કાતર, છરી કે અન્ય ધારદાર વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. જ્યોતિષમાં મંગળને લોહી અને યુધ્ધનો કારક ગ્રહ માનવામાં આવે છે માટે ધારદાર વસ્તુઓ જો ખરીદવામાં આવે તો પરિવારમાં ઝગડા વધી શકે છે.
ક્રોધ અને ક્લેશથી બચો
મંગળવારના દિવસે ક્રોધ અને ઘરમાં કંકાશ ના કરવી જોઈએ. હનુમાનજી શાંતિ અને સંયમના પ્રતિક છે માટે આ દિવસે ક્રોધ કરવાથી તેમના આશીર્વાદ મળતા નથી.
વાળ અને નખ ના કાપવા જોઈએ
મંગળવારના દિવસે વાળ કપાવવા કે દાઢી કરવી કે નખ કાપવાથી બચવું જોઈએ, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મંગળ દેવ અને હનુમાનજી નારાજ થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં નકારાત્મક પ્રભાવ પડે છે.
પ્લાસ્ટિકનો સામાન ભેટમાં ના આપો
મંગળવારના દિવસે કોઈને પણ પ્લાસ્ટિકનો સામાન ભેટમાં આપવો જોઈએ નહીં આનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે.
માંસ-મદિરાનું સેવન ના કરવું જોઈએ
મંગળવારના દિવસે માંસ, મદિરા કે અન્ય તામસિક પ્રદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં. હનુમાનજી બ્રહ્મચારી હતા માટે આ દિવસે સાત્વિક કરવું જોઈએ.
કાળા રંગના વસ્ત્રો ના પહેરવા જોઈએ
મંગળવારના દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ. આ દિવસે લાલ કે કેસરી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
રોકાણ ના કરો
મંગળવારના દિવસે કોઈપણ પ્રકારનું રોકાણ ના કરવું જોઈએ, આ દિવસે રોકાણ કરવું લાભદાયક માનવામાં આવતું નથી.
મંગળવારના દિવસે કરવાના ઉપાય
આ દિવસે મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને તેમને લાડુ અને બુંદીનો ભોગ હનુમાનજીને ધરાવવો ખૂબ shubહ માનવામાં આવે છે. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર કૃપા વરસાવે છે.