દિલ્હી માટે આગામી દિવસોમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ આ માહિતી આપતા કહ્યું કે મુખ્યમંત્રીની પસંદગી માટે એક સુસંગત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ચોખ્ખી જીત નોંધાઈ છે. ત્યારે આ બાદ હવે. જય પાંડાએ એ પણ સંકેત આપ્યો કે નવી સરકારની રચના પછીની પહેલી કેબિનેટ બેઠકમાં યમુનાની સફાઈ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને વિકાસ કાર્યોમાં ઝડપ લાવશે.
દિલ્હીમાં ભાજપની બહુમતી સાથે સરકાર બનતા હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે વિકાસના કામોને પ્રોત્સાહન આપશે. પાંડાએ જણાવ્યું કે ભાજપને બે મહિના અગાઉથી જ સંકેત મળ્યા હતા કે તેઓ બે તૃતીયાંશ બહુમતી સાથે વિજયી થશે.
ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી પદ માટે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં અંતિમ જાહેરાત કરવામાં આવશે. પાર્ટી નેતાઓ માને છે કે દિલ્હીની જનતાએ ‘નાટક રાજકારણ’ નકારી કાઢ્યું છે અને વિકાસને પ્રાધાન્ય આપ્યું છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મોટા ફેરફાર સાથે વિજય મેળવ્યો છે. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા એમની બેઠકો પર પરાજય વેઠવા માટે મજબૂર બન્યા. કુલ 70 બેઠકોમાંથી 47 બેઠકો પર ભાજપ આગળ છે, જ્યારે AAP 23 બેઠકો પર સીમિત રહી છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી પણ નિરાશાજનક રહી હતી, કારણ કે તે સતત ત્રીજી વખત શૂન્ય પર રહી.
1993માં પ્રથમ વખત દિલ્હીમાં વિજય મેળવ્યા બાદ, ભાજપ 27 વર્ષથી વિધાનસભાની ચૂંટણીમાં સંઘર્ષ કરી રહ્યો હતો. આ વખતની જીત તેમના માટે ઐતિહાસિક છે અને ભાજપની આગેવાની હેઠળ નવી દિલ્હીમાં નવી દિશામાં વિકાસ શરૂ થવાની સંભાવના છે. ત્યારે હવે માહિતી સામે આવી છે કે દિલ્હી માટે આગામી 10 થી 15 દિવસમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થવાની સંભાવના છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ આ માહિતી આપી છે.