નડિયાદના કથિત લઠ્ઠાકાંડમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે.. રિપોર્ટમાં ફેફસા બંધ થયા હોવાથી મોત થયાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આ મામલામાં સોડાની અનેક બોટલો કબ્જે કરી FSLમાં રિપોર્ટ અર્થે મોકલાઇ છે. મૃતક કનું ચૌહાણ સોડાની બોટલ લાવ્યાનુ પ્રત્યક્ષદર્શીનું નિવેદન લેવાયું છે. સોડાની અંદર કેફી દ્રવ્યની મિલાવટ કર્યાની શક્યતાના આધારે તપાસ હાથ ધરાઇ છે. સાઇનાઈટ અને સોડિયમ નાઇટ્રેડ જેવા કેમિકલનો ઉપયોગ થયો છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. મોતનું ચોક્ક્સ કારણ પીએમના કોઝ ઓફ ડેથ અને એફએસએલના રિપોર્ટ બાદ સામે આવી શકે છે.
મહત્વનું છે કે આ ઘટનામાં એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે સોડા પીધા બાદ પાંચ જ મીનિટમાં ત્રણેયને અસર થઇ હતી જેથી આ સોડાકાંડ છે કે લઠ્ઠાકાંડ તેને લઇને પણ હજુ સવાલ ઉભો છે.. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે મૃતકો પૈકી એક કનુભાઇ ચૌહાણ ઝીરા સોડાની બોટલ લઇને આવ્યા હતા. જે સોડા ત્રણેયે પીધી હતી. સોડા પીધા બાદ એક વ્યક્તિની તબિયત તુરંતજ બગડી હતી જેથી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો , તો થોડીવારમાં બાકીના બે લોકોની તબિયત પણ બગડી હતી.
આ ઘટનામાં બ્લડ સેમ્પલને રાત્રેજ FSL માટે મોકલવામાં આવ્યા હતા. બ્લડ રિપોર્ટમાં ઇથાઇલ આલ્કોહોલ પોઇન્ટનું લેવલ ત્રણ વ્યક્તિઓ પૈકી બેમાં 1 પોઇન્ટ છે જ્યારે એક વ્યકિતમાં 2 પોઇન્ટ છે.