સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ મત ગણતરીના પરિણામો જાહેર થયા હતા. ત્યારે રાજ્યમાં મોટા ભાગની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. પરંતુ રાજ્યમાં હજી ઘણી બેઠકો એવી છે જ્યા ભાજપનો હાથ પહોંચી શક્યો નથી. અને હજી પણ ત્યા અપક્ષ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો રાજ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીનો વિજય
દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકા ભાજપના પંજાથી દૂર રહી ગઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ નગરપાલિકામાં વોર્ડ નં 1 અને 2 માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જેમાં તમામ ચાર ઉમેદવારોને વિસ્તારના લોકોએ વધાવી લીધા હતા. દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 13 બેઠકોમાં બાજી મારીને ભાજપને પછાડી હતી.
કેટલીક મહત્વપૂર્ણ બેઠકો જીતી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મળેલી કારમી હાર બાદ હવે પહેલા છત્તીસગઢ અને હવે ગુજરાતમાંથી સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીએ કેટલીક મહત્વપૂર્ણ બેઠકો જીતી છે. ગુજરાતમાં AAPનું ખાતું ખોલાવવાનું, દિલ્હીમાં હારથી નિરાશ થયેલી પાર્ટીને મોટો બૂસ્ટર ડોઝ માનવામાં આવી રહ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં વિજય
સલાયા નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2માં AAPના ઉમેદવારોનો વિજય. વોર્ડ 1 માં તમામ ઉમેદવારોના જીત અને વોર્ડ 2માં AAPના ચારેય ઉમેદવારોની વિજયી સફર.
જૂનાગઢ જિલ્લા
માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં AAPના ચારેય સભ્યોના વિજય.
ગીર સોમનાથ જિલ્લાની ચિત્રવાડ તાલુકા પંચાયતમાં
AAPના ઉમેદવાર રાજ પડાણીયાનું સરસ પ્રદર્શન, પણ 31 મતથી હાર.
ગીર સોમનાથમાં વિમલભાઈની ચેલેન્જે કોંગ્રેસને કરી નિરાશ
ગીર સોમનાથ જિલ્લામાં વિમલભાઈ દ્વારા ઉભા કરાયેલા પડકારે કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. વિમલભાઈની મજબૂત ઉમેદવારીના કારણે કોંગ્રેસ અહીં ધાર્યા પરિણામો લાવી શકી નથી. કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારમાં આ વખતે પરંપરાગત વોટબેંકમાં ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ચોરવાડ પાલિકામાં 10 વર્ષથી કોંગ્રેસના એકહથ્થુ શાસનનો અંત, ભાજપનું શાસન:
ચોરવાડ પાલિકામાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા કોંગ્રેસના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. ભાજપે અહીં શાનદાર વાપસી કરી છે અને પાલિકામાં પોતાનું શાસન સ્થાપ્યું છે. આ પરિવર્તન કોંગ્રેસ માટે મોટો ઝટકો છે, જે લાંબા સમયથી અહીં મજબૂત સ્થિતિમાં હતી.
જૂનાગઢના ગિરીશ કોટેચાના દબદબાનો અંત, પુત્ર પાર્થ કોટેચાની હાર:
જૂનાગઢમાં છ વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશ કોટેચાના દબદબાનો અંત આવ્યો છે. માત્ર ગિરીશ કોટેચા જ નહીં, પરંતુ તેમના પુત્ર પાર્થ કોટેચા પણ આ ચૂંટણીમાં હારી ગયા છે. કોટેચા પરિવારનો આ પરાજય જૂનાગઢના રાજકારણમાં એક યુગના અંત સમાન છે.
રાણાવાવ- કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય, ઢેલીબેનના શાસનનો અંત:
રાણાવાવ-કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીએ વિજય મેળવ્યો છે. કુતિયાણા પાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા ઢેલીબેનના એકહથ્થુ શાસનનો પણ અંત આવ્યો છે. સમાજવાદી પાર્ટીનો આ વિજય પ્રાદેશિક પક્ષોની વધતી જતી તાકાતનો સંકેત આપે છે.