What's Hot

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    March 13, 2025

    શીખો ભગવાન કૃષ્ણમાંથી સફળતાના 7 મંત્રો, જે બદલી નાખશે તમારી સંપૂર્ણ લાઇફ…

    March 13, 2025

    આજે હોલિકા દહન, ભદ્રાનો ઓછાયો આખો દિવસ રહેશે, પૂજા માટે શુભ રહેશે આટલો જ સમય…

    March 13, 2025
    Facebook Twitter Instagram
    • About Us
    • Privacy Policy
    • Contact Us
    • Disclaimer
    • Terms and Conditions
    Facebook Twitter Instagram
    Gujju King
    • Home
    • Gujarat
      1. Ahmedabad
      2. Bhavnagar
      3. Gandhinagar
      4. Rajkot
      5. Surat
      6. Vadodara
      7. View All

      હનુમાનજીનું દિવ્ય મંદિર ચેતનધામ ઉદાસીન આશ્રમમાં, જ્યાં ભજન અને ભોજનનો છે અનોખો સંગમ…

      March 1, 2025

      ગુજરાતમાં અહીં સુર્યનું પહેલું કિરણ પડે છે મા પાર્વતીજીના લલાટ પર, કરો દર્શન વૈજનાથ મહાદેવના…

      February 24, 2025

      ચક્કાજામ, કાર્યકરોની અટકાયત, અમદાવાદ-સુરતમાં ABVPનું ઉગ્ર આંદોલન..- જાણો શું છે મામલો..

      February 13, 2025

      સોલંકી યુગની સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ એટલે સારંગપુર…ત્યા બિરાજમાન કર્ણમુકેશ્વર મહાદેવ, જાણો ઇતિહાસ…

      February 4, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      PM મોદીએ રો-રો ફેરી સર્વિસને માઈલસ્ટોન ગણાવી, કોંગ્રેસ પર વરસ્યા

      July 8, 2024

      ભાવનગરમાં સહાધ્યાયીને માર મારનાર બે અંધ વિદ્યાર્થિનીને સસ્પેન્ડ, બેગમાંથી પૈસાની ચોરીની શંકા

      July 6, 2024

      ભગવાનના મંદિરો તોડવામાં આવશે, મોદીના મંદિરો બનશે’, સંજય સિંહે ભાવનગરનો વીડિયો શેર કરીને કહ્યું.

      July 6, 2024

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      પીએમ મોદીએ પોતાનો ગાંધીનગર પ્લોટ દાનમાં આપ્યો, પ્લોટ પર આલીશાન બિલ્ડીંગ બનશે

      July 8, 2024

      અમિત શાહે ગાંધીનગર થી એવું બોલ્યા કે કોંગ્રેસ ના ઉમેદવાર જોતા રહી ગયા

      July 6, 2024

      ગાંધીનગરમાં કપડાના ગોદામમાં ભીષણ આગ, 5 ફાયર એન્જિન હાજર

      July 6, 2024

      વેલેન્ટાઈન ડેના આગલા જ દિવસે રાજકોટમાં ઘટ્યો વધુ એક હત્યાકાંડ, 10 વર્ષના પ્રેમમા પ્રેમીએ પ્રેમીકાને માર્યા ચપ્પુના ઘા…

      February 13, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      રાજકોટમાં 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, દોડતી થઈ પોલીસ…

      October 26, 2024

      રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટનાને એક માસ પૂર્ણ થતાં આજે બજારોમાં સુમસામ જોવા મળ્યો હતો

      July 8, 2024

      સુરતના માર્કેટમાં લાગેલ આગ બાદ ઓલપાડમાં ડાયમંડ ડાય બનાવતી કંપનીમાં લાગી આગ, મશીનરી બળીને રાખ, કારણ…

      February 28, 2025

      સુરતમાં શિવશક્તિ માર્કેટમાં કાપડની 800 જેટલી દુકાનો આગમા ખાક, રડી પડ્યા વેપારીઓ, કરોડોનું નુકસાન…

      February 26, 2025

      કડોદરામાં હાજરાહજૂર અગિયારમુખી હનુમાનજી, દાદાની પ્રતિમાનો છે રસપ્રદ ઈતિહાસ..જુઓ..

      February 22, 2025

      ચક્કાજામ, કાર્યકરોની અટકાયત, અમદાવાદ-સુરતમાં ABVPનું ઉગ્ર આંદોલન..- જાણો શું છે મામલો..

      February 13, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      આ વિસ્તારમાં એટલું પાણી ભરાઈ ગયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો, વીડિયો જોઈને તમે ચોંકી જશો.

      August 30, 2024

      ઉફ્ફ ગરમી! સખત ગરમી ના કારણે પોલીસ ને પણ એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવી પડે છે

      July 9, 2024

      વડોદરામાં ભયાનક માર્ગ અકસ્માત, ટાયર ફાટવાથી વાન પલટી; કેટલાય બાળકો ને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું

      July 6, 2024

      અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

      March 13, 2025

      મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો ધન્ય બને છે અહીં દર્શન કરીને…

      March 7, 2025

      જસરા ગામે મહાભારત કાળનું બુઢેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ કરી હતી ભોળાનાથની સ્થાપના…

      March 6, 2025

      હનુમાનજીનું દિવ્ય મંદિર ચેતનધામ ઉદાસીન આશ્રમમાં, જ્યાં ભજન અને ભોજનનો છે અનોખો સંગમ…

      March 1, 2025
    • International
    • Health
    • Entertainment
    • Politics
    • Religion
    • Sports
    • Web Stories
    Gujju King
    Home»Politics»ગુજરાત ભાજપને મળી શકે છે નવા પ્રમુખ, બજેટ બાદ મંત્રી મંડળના વિસ્તરણની પણ…

    ગુજરાત ભાજપને મળી શકે છે નવા પ્રમુખ, બજેટ બાદ મંત્રી મંડળના વિસ્તરણની પણ…

    Heet BhanderiBy Heet BhanderiFebruary 3, 2025
    Facebook Twitter LinkedIn Telegram Pinterest Tumblr Reddit Email
    Untitled 18
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બજેટ પહેલા પ્રદેશ પ્રમુખની નિમણૂક, બજેટ બાદ મંત્રી મંડળનુ વિસ્તરણ
    છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂકની તેમજ મંત્રી મંડળના વિસ્તરણની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ સ્થિતિમાં જ જીલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. ઉપરાંત 19મી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર પણ ચાલુ થવાનુ છે. જે 30મી માર્ચ સુધી ચાલશે. પ્રમુખની નિયુક્તિ અને વિસ્તરણ અંગ હવે સચિવાલયમાં ટોચના અધિકારીઓએ પણ ચર્ચા કરવાનુ બંધ કરી દીધુ છે. જ્યારે ભાજપના સિનિયર નેતાઓનુ અનુમાન છે કે, સૌ પ્રથમ તો પંચાયત પાલિકાની ચૂંટણીનુ પરિણામ આવી ગયા બાદ ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દેવાશે. ત્યાર બાદ એટલે કે બજેટ સત્ર પછી એપ્રિલ મહિનામાં મંત્રીમંડળનુ વિસ્તરણ કરી દેવાશે. અગાઉ બધુ નક્કી થયા છતાં શા મટે જાહેરાત થઈ શકતી નહોતી તે પ્રશ્ન નેતાઓને પણ સમજાતો નથી. એટલુ જ નહી દર વખતે સમય વીતતો ગયો અને વિવિધ ઈવેન્ટો આવતી ગઈ જેને કારણે બન્ને કામો થઈ શક્યા નહોતા. પણ હવે સ્થાનિક ચૂંટણીઓ અને બજેટ સત્ર બાદ આગામી સમયમાં કોઈ જ મોટી અને નોંધપાત્ર ઈવેન્ટો આવતી નથી. જેથી દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓને પણ બન્ને નિર્ણયો લેવામાં ઘણી જ સરળતા રહેશે. વિસ્તરણ ઉપર હાલ પૂરતુ અલ્પવિરામ મુકાઈ ગયું હોઈ ઘણા નેતાઓ નિરાશ થઈ ગયા છે તેમજ બજેટ સત્ર પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

    IAS-IPS અધિકારીઓની બદલીઓનો નિર્ણય લેવામાં સરકારની ઢીલી નીતિ
    ગુજરાતમાં છેલ્લા ઘણા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આખે સરકારે IAS અધિકારીઓની બદલીઓ કરી છે. જો કે હજુ પણ અનેક IAS અધિકારીઓ પોતાની બદલીની રાહ જોઈને બેઠા છે. આ પ્રકારની જ હાલત IPS અધિકારીઓની બદલીઓમાં છે. નિર્ણય નહી લઈ શકવાની સરકારની ઢીલી નીતિને કારણે અધિકારીઓમાં નિરાશાનો માહોલ છે. ઘણા અધિકારીઓ તો રૂટિન કામ સિવાય અન્ય કોઈ કામો કરતા જ નથી. છેલ્લા બે મહિનાથી બદલીઓમાં આજકાલ આજકાલ થઈ રહ્યું હતું. હવે બજેટ સત્ર આવી રહ્યું હોઈ વધુ કેટલા અધિકારીઓની ક્યારે બદલી થશે તે જોવાનું પણ રસપ્રદ બનશે. અગાઉ સચિવાલયમાં એવી ચર્ચા હતી કે, ઉતરાયણ પહેલા IPSની જ્યારે કમુરતા ઉતરી ગયા બાદ IAS અધિકારીઓની મોટાપાયે બદલીઓ થશે. પણ એવુ કશુ થયુ નહોતુ. ઉચ્ચ અધિકારીઓ પોતાના અન્ય મિત્રોને બદલી ક્યારે આવશે, તમને કઈ અનુમાન આવે છે વગેરે જેવા પ્રશ્નો પૂછે છે. જોકે હવે મુખ્ય સચિવપદેથી રાજકુમારની નિવૃત્તિ થઈ જતા અને તેમની જગ્યાએ મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીને મુકાતા આગામી દીવસોમાં IAS અધિકારીઓની મોટી બદલીઓ થશે એનુ અનુમાન કરાતુ હતુ પણ મુખ્ય સચિવનો ચાર્જ સંભાળ્યા બાદ પંકજ જોશીએ પ્રથમ દિવસે જ સનદી અધિકારીઓની સાગમટે બદલીઓના આદેશ કરીને પોતે નિર્ણય લેવામાં જરાય ઢીલા નહી પડે તેનો આડકતરો મેસેજ આપી દીધો છે. ઉપરાંત ચાર સેક્રેટરીઓને પ્રિન્સિપલ સેક્રેટરીનું પ્રમોશન પણ આપી દેવાયુ છે. હવે આગામી સમયમાં સચિવાલયમાં ફરજ બજાવતા કેટલાક સનદી અધિકારીઓની પણ આંતરિક ટ્રાન્સફર કરી શકાય છે. જેમાં હવે સૌ કોઈનું ધ્યાન મુખ્યમંત્રીના કાર્યાલય પર છે. કેમ કે અહીંથી પંકજ જોશીની જગ્યા લેવા માટે કેટલાય અધિકારીઓ તલપાપડ બન્યા છે અને લોબીંગ પણ શરૂ કરી દીધુ છે. જ્યારે એવી ચર્ચા પણ છે કે, સરકાર કદાચ જોશીની જગ્યાએ હાલ પૂરતા કોઈને ન પણ મુકે જોશી પાસે જે હવાલા હતા તે પૈકીમાંથી હાલમાં CMOમાં ફરજ બજાવતા એમ.કે.દાસ તેમજ અવંતિકા સિંઘ વચ્ચે પણ તેના ખાતાઓ વહેંચી શકાય છે.

    ઓપરેશન ગંગાજળનો ઉપયોગ કોઈ મંત્રી કે તેના પર્સનલ સેક્રેટરી ઉપર થશે કે કેમ ?
    છેલ્લા એક વર્ષ દરમિયાન સરકારે વિવિધ ડિપાર્ટમેન્ટોમાંથી કેટલાય ભ્રષ્ટ અધિકારીઓને સ્વૈચ્છિક નિવૃત્ત કરી દીધા છે. હજુ પણ આવા અધિકારીઓને શોધવામાં આવી રહ્યા છે. મુખ્ય સચિવપદેથી નિવૃત્ત થઈને વિદાય લીધેલા રાજકુમારે પણ એવું જણાવ્યું હતુ કે, મને તમામ અધિકારીઓ તરફથી સારો સહકાર મળ્યો છે તેમજ ભ્રષ્ટાચારઓને દૂર કરાઈ રહ્યા છે. જેને લઈને હવે સચિવાલયમાં ચર્ચા સાથે લોકો રમૂજ કરી રહ્યા છે કે, ભ્રષ્ટ અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવે તે સારી બાબત જ છે. પરંતુ સરકારને માત્ર અધિકારીઓ જ દેખાય છે કે શું ? કેમકે ભૂતકાળમાં પણ IAS અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. જે સરાહનીય પણ છે. પણ મોટી વાત એ છે કે, ભ્રષ્ટાચાર કરવામાં કેટલાક મંત્રીઓ પણ અધિકારીઓને પાછળ રાખી દેતા હોય છે. એટલું જ નહી અમુક મંત્રીના પર્સનલ સેક્રેટરીઓએ તો કરોડો રૂપિયાની જમીનની પણ ખરીદી કરી લીધી છે. તો શું સરકારને મંત્રીઓનો કે તેમના પીએનો ભ્રષ્ટાચાર નથી દેખાતો ? તેઓની સામે ઓપરેશન ગંગાજળ કેમ ચાલુ નથી કરાતુ તેવો પ્રશ્ન પણ લોકો કરી રહ્યા છે.

    IAS પત્નીની બદલી થયા બાદ સતત બીજી વખત તેની જગ્યા પર IAS પતિની નિમણૂક
    ગુજરાતમાં કેટલાય સનદી અધિકારીઓ પતિ-પત્ની છે. ભુતકાળમાં ક્યારે ન બન્યુ હોય તેવુ બન્યુ છે. જેમાં એક IAS પત્નીની અગાઉ બદલી થઈ હતી તેના સ્થાને તેના પતિને મુકાયા હતા. જેથી થોડો ગણગણાટ થયો હતો. હવે ફરીથી પત્નીની બદલી થતા તેના પતિને તેની બદલીની જગ્યા ઉપર નિમણૂક કરાઈ છે. 2009ની બેચના રતનકંવર ચારણ ગઢવી અગાઉ શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરના વડા હતા. દોઢેક વર્ષ પહેલા તેમની બદલી સાબરકાંઠા જીલ્લાના કલેક્ટર તરીકે કરાઈ હતી. પરંતુ એ સમયે તેમની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની ખાલી પડેલી જગ્યા પર તેમના પતિ લલીત નારાયણ સાંડુને મુકાયા હતા. શનિવારે થયેલી સાગમટે બદલીમાં રતનકંવરને આરોગ્ય વિભાગમાં મુકાયા છે. જ્યારે સાબરકાંઠા જીલ્લા કલેક્ટર તરીકે તેમના પતિ લલીત સાંડુને મુકાયા છે. એક જગ્યાએ પત્ની ફરજ બજાવતી હોય, તેમની બદલી થાય અને તની જગ્યા પર તેમના પતિદેવની જ નિમણૂક થાય તે બાબત ખુબ જ આશ્ચર્યની વાત લાગી રહી છે.

    કેટલાય IAS-IPS,મંત્રીઓ અને રાજકીય નેતાઓ મહાકુંભમાં જઈ ગંગામાં ડુબકી મારી આવ્યા
    ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન ટોચના અધિકારીઓ અને રાજકીય નેતાઓ પણ ભારે શ્રધ્ધા ધરાવતા હોય છે. હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં તેઓ ગયા હતા. ત્યાં જઈ કડકડતી ઠંડીમાં તેઓએ ગંગા નદીમાં, ત્રિવેણી સંગમમા ડુબકી લગાવી હતી. જેમાં IAS, IPS અધિકારીઓ ઉપરાંત કેટલાક મંત્રીઓ અને ભાજપના નાના મોટા નેતાઓનો પણ સમાવેશ થાય છે. આમાંથી ઘણા મહાનુભાવોને આગામી ભવિષ્યમાં સારો હોદ્દો મળે કે સારું સ્થાન મળે તેવી આશા-અપેક્ષાઓ હોવાથી ત્યાં જઈને ખાસ પુજા અર્ચના પણ કરી હતી. ગંગામાં ડુબકી માર્યા બાદ આ પૈકીમાંથી કેટલાક અધિકારીઓ અને નેતાઓએ અયોધ્યા જઈને ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા.

    ખેલ મહાકુંભમાં કરોડોના ઈનામની જાહેરાતો પણ અનેક ખેલાડી, અમ્પાયરો તથા સ્ટાફને નાણા મળતા નથી
    સરકાર દ્રારા દર વર્ષે ખેલ મહાકુંભ યોજવામાં આવી રહ્યો છે. જેમાં તાલુકા, જીલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ત્રણ ખેલાડીઓને રોકડ ઈનામો આપવાની જાહેરાતો થતી હોય છે. આ વર્ષે પણ ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે અને તેમાં પણ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવાની વાત છે. ખેલ મહાકુંભમાં વિવિધ પ્રકારની લગભગ 37 જેટલી જૂદી જદી રમતો છે. વિજેતા ખેલાડીઓ પાસેથી ફોર્મ ભરાવડાવામાં આવે છે જેમાં ખેલાડીઓની બેન્ક ડીટેઈલ્સ પણ લેવામાં આવે છે. જેથી તેના ખાતામાં ઈનામની રકમ સીધી જ જમા થઈ શકે. જોકે ઘણા ખેલાડીઓના બેન્ક ખાતામાં આવી રકમ જમા થઈ ગઈ છે પણ હજુ અનેક એવા ખેલાડીઓ છે કે જેમને અગાઉ યોજાયેલા ખેલ મહાકુંભોના ઈનામની રકમ પણ મળી નથી. આ પૈકીમાંથી કેટલાય સિનિયર ખેલાડીઓ તો નેશનલ લેવલે પણ રમે છે. તેઓએ હવે ખેલ મહાકુંભમાં રમવાનુ પણ બંધ કરી દીધુ છે. ગત વર્ષના અનેક વિજેતા ખેલાડીઓએ સ્પોર્ટસ ઓથોરીટી સમક્ષ ઈનામની રકમ નહી મળવા અંગે અનેક ફરિયાદો કરી છે. પણ અધિકારીઓ એવા બ્હાના કાઢે છે કે, તમારા બેન્ક એકાઉન્ટ નંબરમાં કે અન્ય કોઈ ટેકનિકલ ભુલ હશે. તમને રકમ મળી જશે. આ સંદર્ભમાં કોઈએ સેક્રેટરીનુ તેમજ ખેલ મંત્રીનુ ધ્યાન દોરતા તેઓ પણ ચોંકી ગયા છે. તેઓએ બાકી રહેલા વિજેતા ખેલાડીઓના બેન્ક ખાતામાં ઈનામની રકમ તાત્કાલીક જમાં થઈ જાય તેવી વ્યવસ્થા કરવાની પણ કડક સૂચના આપી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Heet Bhanderi

    Related Posts

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    March 13, 2025

    વહેલી સવારે આસામથી દિલ્હી સુધી અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ગભરાઈને નીકળી ગયા ઘરની બહાર…

    February 27, 2025

    28મી ફેબ્રુઆરીએ સર્જાશે ખગોળીય ઘટના, એકસાથે દેખાશે સાત-સાત ગ્રહો એક જ હરોળમાં

    February 26, 2025

    દેશનું એક માત્ર એવું શિવમંદિર જ્યાં વિષ્ણુ વસે છે મહાદેવના દિલમાં, ચડે છે તુલસી…

    February 26, 2025

    આજે CAG રિપોર્ટ દિલ્હીમાં મચાવશે હંગામો, દારૂ નીતિ, કૌભાંડ અને CM નિવાસસ્થાન પર થશે મોટા ખુલાસા.!!

    February 25, 2025

    હળવા વરસાદ સાથે ભારે પવન ફૂંકવાની ચેતવણી, જાણો હવામાન વિભાગની આગાહી..

    February 21, 2025
    Don't Miss
    Blog

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    By Heet BhanderiMarch 13, 2025

    દિલ્હી-NCR માં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. દિલ્હીમાં ગરમી એટલી તીવ્ર પડી રહી છે કે…

    શીખો ભગવાન કૃષ્ણમાંથી સફળતાના 7 મંત્રો, જે બદલી નાખશે તમારી સંપૂર્ણ લાઇફ…

    March 13, 2025

    આજે હોલિકા દહન, ભદ્રાનો ઓછાયો આખો દિવસ રહેશે, પૂજા માટે શુભ રહેશે આટલો જ સમય…

    March 13, 2025

    મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો ધન્ય બને છે અહીં દર્શન કરીને…

    March 7, 2025
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    Our Picks

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    March 13, 2025

    શીખો ભગવાન કૃષ્ણમાંથી સફળતાના 7 મંત્રો, જે બદલી નાખશે તમારી સંપૂર્ણ લાઇફ…

    March 13, 2025

    આજે હોલિકા દહન, ભદ્રાનો ઓછાયો આખો દિવસ રહેશે, પૂજા માટે શુભ રહેશે આટલો જ સમય…

    March 13, 2025

    મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો ધન્ય બને છે અહીં દર્શન કરીને…

    March 7, 2025
    About Us

    GujjuKing News is a Gujarati-Language news Website owned by Tonix Digital Private Limited formerly known as Tonix Digital. The founder of GujjuKing.com is Kishan Parmar – Journalist and Bachelors’s in Computer Applications.

    Email Us: info@gujjuking.com
    Contact: +91 9157244288

    Our Picks

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    March 13, 2025

    શીખો ભગવાન કૃષ્ણમાંથી સફળતાના 7 મંત્રો, જે બદલી નાખશે તમારી સંપૂર્ણ લાઇફ…

    March 13, 2025

    આજે હોલિકા દહન, ભદ્રાનો ઓછાયો આખો દિવસ રહેશે, પૂજા માટે શુભ રહેશે આટલો જ સમય…

    March 13, 2025
    Facebook Twitter Instagram Pinterest
    • About Us
    • Privacy Policy
    • Contact Us
    • Disclaimer
    • Terms and Conditions
    © 2025 Gujju King.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Ad Blocker Enabled!

    Ad Blocker Enabled!
    Our website is made possible by displaying online advertisements to our visitors. Please support us by disabling your Ad Blocker.