ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ હારને કારણે ભારતીય ટીમ 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) હારી ગઈ. વળી ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના વર્તમાન ચક્રમાં ફાઇનલમાં પણ પહોંચી શકી નથી. આ પહેલા ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સાથેની શ્રેણીમાં પણ 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને પ્રવાસો પછી અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 11 જાન્યુઆરી (રવિવાર)ના રોજ મુંબઈમાં સમીક્ષા બેઠક બોલાવી હતી.
મુંબઈમાં સમીક્ષા બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માની ભાવિ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આ બે ખેલાડીઓ ઉપરાંત અન્ય 5 વિશેષ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેના કારણે ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ યોજાયેલી ભારતીય ક્રિકેટ ટીમની સમીક્ષા બેઠકમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓની અનુશાસનહીનતાથી મુખ્ય કોચ ગૌતમ ગંભીર નારાજ હોવાનું કહેવાય છે. તેણે સમીક્ષા બેઠકમાં ટીમ ઈન્ડિયાના રહસ્યો જાહેર કર્યા છે. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ફેમિલી ટૂર અંગેના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. કદાચ એવું માનવામાં આવે છે કે,આ બધું તે સમીક્ષા બેઠક પછી જ થયું છે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) શ્રેણી હાર્યા બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સમીક્ષા બેઠકમાં ભારતીય ડ્રેસિંગ રૂમમાં અનુશાસનહીનતા વિશે વાત કરી હતી. જે માહિતી સામે આવી છે તે મુજબ ખેલાડીઓની અનુશાસનહીનતા એ જ કારણ છે જેના કારણે BCCI પ્રવાસ પર 2 અઠવાડિયા સુધી પરિવાર સાથે રહેવાના કોવિડ-19 પહેલાના નિયમોમાં ફરી રહ્યું છે.
ટીમ ઈન્ડિયા BCCIની સમીક્ષા બેઠક સાથે જોડાયેલી પાંચ ખાસ બાબતો
સમીક્ષા બેઠકમાં એવું સામે આવ્યું છે કે ગૌતમ ગંભીર અને ખેલાડીઓ પરિવાર સાથે રહેવાના મુદ્દે એકમત હતા.
સમીક્ષા બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જુનિયર/યુવાન ક્રિકેટરો સાથે કડક બનવાની જરૂર છે.
સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં દોઢ મહિનાના લાંબા પ્રવાસ દરમિયાન માત્ર એક જ ટીમનું ડિનર રાખવામાં આવ્યું હતું.
BCCIની સમીક્ષા બેઠકમાં એક વરિષ્ઠ ખેલાડીએ BCCIને મેચ ફીનું વિતરણ ન કરવાનું સૂચન કર્યું હતું કારણ કે ખેલાડીઓ સ્થાનિક અને રાષ્ટ્રીય ટીમોને પ્રાથમિકતા આપતા નથી.
કોલકાતામાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચ દરમિયાન તમામ વિવાદો વચ્ચે ગૌતમ ગંભીર અને BCCI વચ્ચે બેઠક યોજાઈ શકે છે.