આજે વર્ષની પહેલી એકાદશી એટલે કે પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન અનુસાર, પૂજા-અર્ચના કરવામાં આવે છે. પુત્રદા એકાદશીનું વ્રત વર્ષમાં બે વાર કરવામાં આવે છે – પોષ શુક્લ પક્ષ અને શ્રાવણ શુક્લ પક્ષ. એવું કહેવામાં આવે છે કે વિધિ અનુસાર પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. શાસ્ત્રો અનુસાર, પોષ પુત્રદા એકાદશીના દિવસે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ. ચાલો જાણીએ કે પોષ પુત્રદા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ.
શાસ્ત્રો અનુસાર, પોષ પુત્રદા એકાદશીના દિવસે દાળ અને અનાજનું સેવન ન કરવું જોઈએ. પણ આ દિવસે ફળ-દૂધ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
પુત્રદા એકાદશીના દિવસે તામસિક ભોજન જેમ કે નોનવેજ અને દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ. માન્યતા છે કે એકાદશીના દિવસે આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા થતી નથી.
એકાદશીના વ્રતના દિવસે પારણા પહેલા ઉપવાસ તોડવો જોઈએ નહિ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પારણા પહેલા ઉપવાસ તોડવાથી અશુભ પરિણામ મળે છે.
એકાદશીના દિવસે મન એકદમ શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ દિવસ એકોઈની સાથે લડાઈ-ઝઘડો કરવો જોઈએ નહીં અને આ દિવસે કોઈને ખરાબ બોલવું પણ ન જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા થતી નથી.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન કાળા રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ દિવસે કાળા રંગના કપડાં પહેરીને પૂજા કરવી પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે ભવન વિષ્ણુની પૂજામાં લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ.
ક્યારે થશે પુત્રદા એકાદશીના વ્રતના પારણા
હિંદુ પંચાંગ અનુસાર, પોષ પુત્રદા એકાદશીનું વ્રત આજે 10 જાન્યુઆરીએ રાખવામાં આવશે. આ વ્રતના પારણા 11 જાન્યુઆરીએ સવારે 7.15 થી 8.21 સુધીમાં કરવા શુભ રહેશે. માન્યતા અનુસાર, પોષ પુત્રદા એકાદશીનું વ્રત સંતાન પ્રાપ્તિની કામના અને એની ખુશી માટે રાખવામાં આવે છે.
