વૈદિક જ્યોતિષમાં સૂર્ય બધા જ નવગ્રહોના સ્વામી માનવામાં આવે છે. જે મકરસંક્રાંતિ પહેલા સૂર્યદેવ નક્ષત્ર પરિવર્તન કરીને ચાલ બદલશે. આ નક્ષત્ર પરિવર્તનની દેશ-દુનિયા, વાતાવરણ સહિત બધી જ રાશિઓ પર અસર પડશે. તો ચાલો જાણીએ કે સૂર્ય નક્ષત્ર પરિવર્તનથી કઈ-કઈ રાશિઓને લાભ થશે.
1. સુર્યનું નક્ષત્ર પરિવર્તન
સૂર્યદેવ 11 જાન્યુઆરી 2025 બાદ પહેલી વાર ઉત્તરાષાદ નક્ષત્રમાં નક્ષત્ર પરિવર્તન કરશે. વૈદિક જ્યોતિષ ગણના અનુસાર, સુર્ય ઉત્તરાષાદ નક્ષત્રમાં 11 જાન્યુઆરીએ સવારે 2:30એ પ્રવેશ કરશે.
2. ઉત્તરાષાદ નક્ષત્રમાં સુર્ય ગોચરની રાશિઓ પર અસર
સુર્યનું ઉત્તરાષાદ નક્ષત્રમાં ગોચર પછી 3 રાશિઓ માટે સકારાત્મક પરિણામ આવશે. સુર્યના નક્ષત્રમાં પ્રવેશથી મેષ સિંહ અને ધનુ રાશિના જાતકોના જીવનમાં નવી તકો અને પ્રગતિ થશે.
3. મેષ રાશિ
સૂર્ય ગોચર મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન સમાજમાં પ્રતિષ્ઠા વધશે. કરિયરમાં પ્રગતિ થશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ યોગ બની રહ્યા છે. તમે આત્મનિર્ભર અને સકારાત્મક અનુભવશો. તમારા નિર્ણયોનું વર્ક પ્લેસ અને પરિવારમાં મહત્વ મળશે. વેપારીઓ માટે ખૂબ લાભદાયક છે. જૂના ઇન્વેસ્ટથી સારું રિટર્ન મળશે. ઘણી નાણાકીય યોજના શરૂ કરી શકો છો. સમાજ અને પરિવારમાં માન-સન્માન મળશે.
4. સિંહ રાશિ
સૂર્ય સિંહ રાશિના સ્વામી છે. આ ગોચર સિંહ રાશિના જાતકોને આર્થિક, શારીરિક અને માનસિક રૂપે લાભ આપશે. વેપારીઓને મોટા પ્રોજેક્ટ અને નવા કોન્ટ્રાક્ટ મળશે. લાંબા સમયથી ચાલતી સ્વાસ્થની સમસ્યામાંથી છુટકારો મળશે. આવક વધશે. પારિવારિક અને વૈવાહિક સંબંધો સુધરશે. માનસિક શાંતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસિત થશે.
5. ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે ઉત્તરાષાદ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ શુભ અને નવી સિદ્ધિઓનો સમય લાવશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. અટકેલા કામ પુરા થશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિની નવી તકો મળશે. પ્રમોશન અને પગાર વધારો થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોને મોટી સફળતા મળશે. વિદેશ યાત્રા અને તીર્થયાત્રાની તકો છે. સંબંધો સુધરશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.