Author: Heet Bhanderi
બનાસકાંઠાના વડગામ તાલુકાના વરસડા ગામે સધી માતાનું અતિ પૌરાણિક મંદિર આવેલુ છે. માતાજી ન્યાયની દેવી તરીકે ઓળખાય છે. 400થી વધુ વર્ષ પહેલાં સિંધમાંથી આવેલા સધી માતાનું 4 ઈંટો મૂકીને બનાવવામાં આવેલું મંદિર આજે લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. માતાજીનું મંદિર નાનું અને ભાવિકોની શ્રદ્ધા મોટી છે. ન્યાયની દેવી સિધ્ધેશ્વરી માતા એટલે સધી માતાના મંદિરે દૂરદૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. બનાસકાંઠાના વડગામ તાલુકામાં વરસડા ગામે અતિ પૌરાણિક સધી માતાનું મંદિર આવેલું છે. મંદિર નાનું છે પણ ભાવિકોની આ મંદિર આસ્થા મોટી છે. અસંખ્ય ભાવિકો નિત્ય સધી માતાજીના દર્શને આવે છે અને ન્યાયની…
મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. શિવભક્તો આ ઉત્સવના આગમનની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે મહાશિવરાત્રી 08 માર્ચ 2024ના રોજ છે. આ ખાસ અવસર પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ઉપવાસ પણ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિનું વ્રત અને પૂજા કરવાથી સાધકને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રીના દિવસે પૂજા કરવા સિવાય વિશેષ વસ્તુઓનું દાન કરવાનું પણ વધુ મહત્વ છે. જીવનમાં હંમેશા નિઃસ્વાર્થ ભાવે દાન કરવું જોઈએ. આવો જાણીએ મહાશિવરાત્રિ પર કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. કાળા તલનુ દાન મહાશિવરાત્રીના દિવસે તલનું દાન કરો. એવી માન્યતા…
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે. અંકશાસ્ત્રમાં સંખ્યાના માધ્યમ દ્વારા ગણિતના નિયમોના વ્યવહારિક ઉપયોગ દ્વારા મનુષ્યના વિવિધ પાસાઓ, તેની વિચારધારા, જીવનના વિષયો વગેરેનું વિગતવાર વર્ણન રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. 1. અંકશાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, તમારો નંબર જાણવા માટે, તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો…
કેતુ 18 મે 2025એ કન્યા રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને માર્ગી થશે. કેતુના સિંહમાં ગોચર કરવાથી ચાર રાશિ પર સકારાત્મક અસર થઈ શકે છે. 1. મિથુન રાશિ સહિત 4 રાશિઓ પર શુભ પ્રભાવ 18 મે 2025 ના રોજ કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યો છે. હાલમાં કેતુ કન્યા રાશિમાં છે. જ્યારે કેતુ કન્યા રાશિ છોડીને સૂર્યની સિંહ રાશિમાં ગોચર કરશે, ત્યારે તે વક્રી ચાલથી પણ નીકળશે. કેતુ 18 મેના રોજ સાંજે 4.30 વાગ્યે સિંહ રાશિમાં ગોચર કરશે. કેતુનું સિંહ રાશિમાં ગોચરથી મિથુન રાશિ સહિત 4 રાશિઓ પર શુભ પ્રભાવ થશે. કેતુના પ્રભાવને કારણે, 4 ભાગ્યશાળી રાશિના જાતકોના જીવનમાં ખૂબ જ…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 14 02 2025 શુક્રવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ બીજ, નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની, યોગ સુકર્મા, કરણ તૈતિલ સવારે 9:02 પછી ગર, રાશિ સિંહ (મ.ટ.) 2. મેષ (અ.લ.ઈ.) સકારાત્મક વિચારોથી લાભમાં વૃદ્ધિ થશે અને વ્યવસાયત્મક યાત્રામાં સફળતા મળશે તેમજ વાણી ઉપર નિયંત્રણ રાખવું, નોકરી વિષયક પ્રયાસોમાં સફળતા મળશે 3. વૃષભ (બ.વ.ઉ.) વેપાર વૃદ્ધિ રોકાણના સારા યોગ બને છે અને નોકરીમાં ઉચ્ચ અધિકારીથી સહયોગ મળશે તેમજ સારા કામમાં સહકાર મળશે…
અમદાવાદમાં ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મેનેજમેન્ટ ક્વૉટામાં અપાતી સ્કોલરશીપ બંધ કરવામાં આવતા વિવાદ છેડાયો હતો. 1. પરિપત્રની હોળી મેનેજમેન્ટ ક્વૉટામાં ST કેટેગરીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરવામાં આવતા અમદાવાદમાં ABVPએ વિદ્યાર્થીઓ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મેનેજમેન્ટ ક્વૉટામાં અપાતી સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવતા સરકારના પરિપત્રની હોળી કરીને ABVPએ વિરોધ કર્યો હતો. 2. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર ભારત સરકારની વર્ષ 2010થી લાગુ થયેલી આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર આદિવાસી સમાજનાં બાળકોને પેઇડ અને ફ્રી સીટ ઉપર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી. પરંતુ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકારની વર્ષ 2022થી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી…
ફેબ્રુઆરી મહિલનામાં વેલેન્ટાઈન વિક ચાલી રહ્યું છે અને આવતી કાલે વેલેન્ટાઈન ડેની ઉજવણી આખું વિશ્વ કરવા જઇ રહ્યું છે ત્યારે આ દિવસના આગલા દિવસે પ્રેમને લજવતો કિસ્સો સર્જાયો હતો. જેમાં રાજકોટમાં પ્રેમીએ પ્રેમીકા પર હુમલો કરીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. 10 વર્ષથી પ્રેમ સંબંધો હતા મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતા પ્રેમી પંખિડાઓ વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધો હતા. ત્યારે તાજેતરમાં જ પ્રેમિકાની સગાઈ થતા પ્રેમી સંજયે ગઈકાલે આવેશમાં આવી પ્રેમિકા પર હુમલો કર્યો હતો. પ્રેમિકા પર હુમલો કર્યા બાદ પ્રેમીએ પોતાને ચપ્પુ મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ ઘટનાએ ગંભીરરૂપ ધારણ કર્યું હતું. જોકે હાલ પ્રેમિકા…
ગુરુવારે બપોરે મહાકુંભ મેળા વિસ્તારમાં નાગવાસુકી નજીક એક કેમ્પ ટેન્ટમાં આગ લાગી હતી. જેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ. ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ ઓલવી નાખી પરંતુ ત્યાં સુધીમાં બે તંબુ બળી ગયા હતા. પ્રથમ નજરે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ અકસ્માત નાગાવાસુકી વિસ્તારમાં થયો હતો જ્યાં સુરક્ષા કર્મચારીઓના તંબુ ગોઠવાયેલા છે. ગુરુવારે બપોરે મહાકુંભ મેળા વિસ્તારમાં નાગવાસુકી નજીક એક કેમ્પ ટેન્ટમાં આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ ઓલવી નાખી પરંતુ ત્યાં સુધીમાં બે તંબુ બળી ગયા હતા. એવું કહેવામાં આવ્યું છે કે નાગવાસુકી વિસ્તારમાં બિંદુ માધવ માર્ગ પર એક પોલીસ કેમ્પ છે, જ્યાં સુરક્ષા કર્મચારીઓ…
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નોટ RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર સાથે જારી કરવામાં આવશે. આ નવી નોટો દેશના આર્થિક પરિપ્રેક્ષ્ય માટે મહત્વપૂર્ણ છે અને આ નોટોને વપરાશ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ નોટો 50 રૂપિયાની પહેલાની નોટોની જેમ જ હશે, પરંતુ આ પર હસ્તાક્ષર બદલાવાની મુખ્ય વાત છે. નવી નોટની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 50 રૂપિયાની નોટો જેવી જ રહેશે. RBIએ જણાવ્યુ છે કે જે 50 રૂપિયાની નોટો અગાઉ જારી કરવામાં આવી હતી, તે પણ કાયદેસર ટેન્ડર તરીકે માન્ય રહેશે. એટલે કે, નવી નોટના પ્રકાશિત…
વલસાડમાં તડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહિં આઠ સદી પહેલાથી ભોળેનાથ બિરાજમાન છે. મંદિરમાં ભોળેનાથની આરામ ફરમાવતી એટલે કે સુતેલી પ્રતિમાનું સ્થાપન કરેલુ છે. દેશમાં એક માત્ર સુતેલી અવસ્થામાં બિરાજમાન તડકેશ્વર મહાદેવ મંદિરના ઘુમ્મટનું અનોખું મહત્વ એટલા માટે છે. કે આ વિશ્વનું એકમાત્ર ઘુમ્મટ વિનાનું મંદિર છે. વર્ષોથી શિવજી અહિં આરામની મુદ્રામાં બિરાજમાન છે એટલે જ કદાચ વલસાડ શહેર પણ આરામ, શાંતિ માટે શ્રેષ્ઠ શહેર ગણાય છે. વલસાડ શહેરમાં પ્રવેશતા જ શહેરનાં પ્રવેશદ્વાર પર બિરાજમાન છે તડકેશ્વર મહાદેવ. વિશાળ પરિસરમાં આવેલા તડકેશ્વર મહાદેવના ભવ્ય મંદિર સાથે વર્ષો જુનો ઈતિહાસ જોડાયેલો છે. વિશાળ અને સુંદર પટાંગણ ધરાવતું આ મંદિર પહેલા એક…