કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ (Manmohan Singh) ની સ્મૃતિમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એક અખબારી યાદી બહાર પાડીને ગૃહ મંત્રાલયે કહ્યું કે શુક્રવારે સવારે સરકારને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરફથી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહ (Manmohan Singh) ના સ્મારક માટે જગ્યા ફાળવવાની વિનંતી મળી. કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહના પરિવારને જણાવ્યું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી શકે છે, કારણ કે એક ટ્રસ્ટની રચના કરવામાં આવશે અને આ માટે જગ્યા ફાળવવામાં આવશે.
કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારનું નેતૃત્વ કરનાર અને આર્થિક સુધારા માટે જાણીતા ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh) નું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેમણે 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે 10 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યું.
કોંગ્રેસે કર્યા આ આક્ષેપ
કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો કે મનમોહન સિંહ (Manmohan Singh) ના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે સ્થળ નક્કી ન કરવું એ દેશના પ્રથમ શીખ વડાપ્રધાનનું ઇરાદાપૂર્વકનું અપમાન છે. કોંગ્રેસે આ મુદ્દો એ ત્યારે ઉઠાવ્યો જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર શનિવારે સવારે 11:45 વાગ્યે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
आज सुबह कांग्रेस अध्यक्ष ने प्रधानमंत्री को पत्र लिखकर प्रस्ताव दिया था कि पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह का अंतिम संस्कार ऐसे स्थान पर किया जाए जहां उनकी विरासत का सम्मान करने के लिए एक स्मारक बनाया जा सके।
हमारे देश के लोग यह नहीं समझ पा रहे हैं कि भारत सरकार उनके वैश्विक…
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 27, 2024
જયરામ રમેશે X પર લખી પોસ્ટ
જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા જયરામ રમેશે શુક્રવારે ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ (Manmohan Singh) પ્રત્યે અનાદરભર્યું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું, “આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાનને પત્ર લખીને પ્રસ્તાવ મૂક્યો કે ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવામાં આવે જ્યાં તેમના વારસાના સન્માન માટે એક સ્મારક બનાવી શકાય.” સવાલો ઉઠાવતા જયરામ રમેશે કહ્યું, “આપણા દેશના લોકો એ સમજવામાં અસમર્થ છે કે ભારત સરકાર ડૉ. મનમોહન સિંહના વૈશ્વિક કદ, ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને દાયકા સુધી રાષ્ટ્રની સેવાને અનુરૂપ તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે કોઈ જગ્યા કેમ નક્કી કરી શકી નથી.”
તેમણે આને ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ (Manmohan Singh) નું ઇરાદાપૂર્વકનું અપમાન ગણાવ્યું. 2004 થી 2014 સુધી ભારતના વડા પ્રધાન રહેલા ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર શનિવારે સવારે 11:45 વાગ્યે દિલ્હીના નિગમબોધ ઘાટ પર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.