IPL 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટીમો ટૂંક સમયમાં ખેલાડીઓની રિલીઝ અને રીટેન્શન યાદી જાહેર કરશે. પરંતુ આ વખતે IPL અલગ હશે. આ સીઝન પહેલા જ રિટેન્શનને લઈને નવા નિયમો પણ આવ્યા છે. IPL 2025 કેટલાક ખેલાડીઓ આ સિઝન બાદ IPLમાંથી સન્યાસ પણ શકે છે.
1. IPL 2025
ક્રિકેટ ફેન્સ માટે એક માઠા સમાચાર છે. IPL 2025 બાદથી ત્રણ દિગ્ગજ ખેલાડીઑ સન્યાસ લઈ શકે છે. આ લિસ્ટમાં ભારત ટીમના બેસ્ટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે અમિત શર્મા અને ફાફ ડુ પ્લેસીસ પણ છે.
2. ધોની
IPLમાં ઘણા એવા ખેલાડી રમી રહ્યા છે કે જેમની ઉંમર સંન્યાસ લેવાની થઈ ગઈ છે. આ લિસ્ટમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ પહેલા નંબરે છે. ધોની IPLમાંથી સંન્યાસની જાહેરાત કરી શકે છે.
3. બેંગલોરના કેપ્ટન
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસનું કરિયર શાનદાર રહ્યું છે. તેમણે ઘણા સમયે મજબૂત પ્રદર્શન પણ બતાવ્યું છે. પરંતુ ડુ પ્લેસીસ હવે IPLને ગુડ બાય કહી શકે છે.
4. ડુ પ્લેસીસ
ડુ પ્લેસીસ 40 વર્ષના થઈ ગયા છે. તેમના માટે આ છેલ્લી IPL હોઇ શકે છે. જોકે આ બાબતે કોઈ આધિકારિક જાહેરાત નથી કરી.
5. અમિત મિશ્રા
લખનઉ સુપર જેન્ટ્સના દિગ્ગજ બોલર અમિત મિશ્રા 41 વર્ષના થઈ ગયા છે. તે પણ આ સિઝન બંદ સંન્યાસની જાહેરાત કરી શકે છે.
6. 162 મેચમાં 174 વિકેટ
અમિત મિશ્રાને છેલ્લી સિઝનમાં એક જ મેચમાં રમવાનો ચાન્સ મળ્યો હતો. તે પણ 162 મેચ રમી ચૂક્યા છે. આ દરમિયાન 174 વિકેટ લીધેલી છે.