Author: Heet Bhanderi
દૂરસંચાર વિભાગ (DoT) ટૂંક સમયમાં સાયબર ફ્રોડ પર નિયંત્રણ લાવવા માટે નવી પ્રણાલી લાવવાનું છે. આ કેન્દ્રિય પ્રણાલી તે કોલ્સને બ્લોક કરવામાં સક્ષમ હશે જેમાં અવાજ બદલીને લોકોને ઠગવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા આવા સાયબર ફ્રોડના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકો અવાજ બદલીને છટકામાં પાડવામાં આવે છે અને પછી તેમની સાથે ફ્રોડ કરવામાં આવે છે. હમણાં જ આગ્રામાં આવી જ રીતે અવાજ બદલીને કરાયેલી ફ્રોડ કોલને કારણે એક દુખદ બનાવ બન્યો છે. દૂરસંચાર વિભાગે આ ઘટનાની નોંધ લીધી છે અને આવનારા સમયમાં અવાજ બદલીને કરવામાં આવતા ફ્રોડ કોલ્સને રોકવા માટે નવી ટેકનોલોજી લાવવાની જાહેરાત કરી છે. એડવાન્સ…
ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે એક નવી અપડેટ સમે આવી છે. વાસ્તવમાં ઈઝરાયેલમાં કામ કરતા ઉત્તર પ્રદેશના હજારો મજૂરો જેઓ વધુ સારી રોજગારીની શોધમાં પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા હતા તેઓ આજે ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે અનિશ્ચિતતા અને ભયના પડછાયા હેઠળ જીવી રહ્યા છે. તાજેતરમાં આ પ્રદેશમાં વધતા સંઘર્ષોએ આ કામદારોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. આવી સ્થિતિમાં તેમના જીવન અને કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર શું પગલાં લઈ રહી છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં ઈઝરાયેલમાં કેટલા ભારતીયો ? ભારતીય વિદેશ મંત્રાલય અને ઇઝરાયેલના શ્રમ મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર, હાલમાં આ દેશમાં ભારતીય નાગરિકોની સંખ્યા…
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે. જાણો 1-9 અંકવાળા લોકો માટે 5 ઓક્ટોબરનો દિવસ કેવો રહેશે. 1. મૂળાંક 1 આજનો દિવસ મૂળાંક 1 વાળા લોકો માટે સારો રહેવાનો છે. જો કે કોઈ બાબતને લઈને મન પરેશાન થઈ શકે છે. શૈક્ષણિક કાર્યમાં સાવધાની રાખવી જોઈએ. ઓફિસમાં મુશ્કેલીઓ આવી શકે છે. કાર્યસ્થળ પર કાર્યસ્થળમાં ફેરફાર થઈ શકે…
ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં શનિએ પોતાનું નક્ષત્ર બદલ્યું છે. શનિએ રાહુના નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. ચાલો જાણીએ કઈ રાશિ માટે શનિનું નક્ષત્ર પરિવર્તન શુભ રહેશે. શનિ ગ્રહને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. વ્યક્તિને કર્મોના અનુસાર શુભ અને અશુભ ફળ આપે છે. આ જ કારણ છે કે જ્યોતિષમાં શનિની ચાલમાં થતા ફેરફારોને ખૂબ જ નજીકથી જોવામાં આવે છે. શનિ ગ્રહે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં 3 તારીખે નક્ષત્ર પરિવર્તન કર્યું છે. શનિ દેવ 3 ઓક્ટોબરથી ડિસેમ્બરના છેલ્લા સપ્તાહ સુધી રાહુના નક્ષત્ર શતભિષામાં ગોચર કરશે. અહીં જાણો કઈ રાશિના લોકો માટે આ નક્ષત્ર પરિવર્તન શુભ સાબિત થશે. વૃષભ શનિ અત્યારે તમારા દસમા ભાવમાં છે. આ…
આ વર્ષે દિવાળી પહેલા 20 ઓક્ટોબર 2024ના રોજ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિના સ્વામી ચંદ્ર અને મંગળ મિત્ર છે, તેથી આ સંક્રમણ 5 રાશિઓ માટે શુભ રહેશે. ચાલો જાણીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે? 1. મેષ ચંદ્રની રાશિ કર્કમાં મંગળ ગોચરથી મેષ રાશિના જાતકો માટે ઈન્કમના એક્સ્ટ્રા સોર્સ સામે આવશે. નવા કામ અને ઉદ્યોગમાં રોકાણ કરવા માટે આ અનુકૂળ સમય છે. રોકાણથી લાભ થશે તેમજ કામના સ્થળ પર માન-સન્માન વધશે. પરિવારમાં સંબંધો મજબૂત થશે. 2. કર્ક કર્ક રાશિના જાતકો માટે મંગળ ગોચર અનુકૂળ પરિણામ લઈને આવશે. વેપારમાં વૃદ્ધિ થશે, આવક વધશે. પાર્ટનરશિપમાં લાભ થશે. નોકરીમાં નવી તક…
દેશભરમાં 3જી ઓક્ટોબર 2024થી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ સમયે ઘર ઘરમાં માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સમયગાળામાં બધા જ લોકો પૂજા કરીને માતાને પ્રસન્ન કરે છે. આ સમયગાળો આદિશક્તિ દેવી દુર્ગાની ઉપાસનાને સમર્પિત છે. એમ કહેવાય છે કે નવરાત્રી પર્વ દરમિયાન માતા પૃથ્વી પર રહે છે. દેવી દુર્ગાને ‘શક્તિસ્વરૂપ’ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. દુર્ગા માતાની પૂજા કરવાથી ભક્તોના દુઃખ અને પરેશાની દૂર થાય છે. જ્યોતિષચાર્યોના અનુસાર, કેટલીક એવી રાશિ છે જે માતા દુર્ગાને ઘણી પ્રિય છે. આ રાશિના લોકો પર હંમેશાં માતાજીની કૃપા રહે છે. અહીં જાણો આ રાશિઓ વિશે. 1. મેષ…
યુટ્યુબર એલ્વિશ યાદવ, કોમેડિયન ભારતી સિંહ, હર્ષ લીમ્બાચીયા સહિતના કલાકારોને મુસીબતો વધી ગઈ છે. આ કલાકારોનું નામ 500 કરોડના ફ્રોડમાં આવ્યું છે. જે મામલે દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે 500 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે પૂછપરછ માટે આ કલાકારોને નોટિસ ફટકારી છે. 500 કરોડનું કૌભાંડ Hibox નામની એક મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2024માં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી જેમાં લોકોને વધારે રિટર્ન સાથે પૈસા પરત કરવાનું કહેવામાં આવતું હતું. આ એપ્લિકેશનમાં 30,000 થી વધુ લોકોએ રોકાણ કર્યું હતું. દિલ્હી પોલીસે Hibox એપ ઇનવેસ્ટમેન્ટ સ્કેમનો ભાંડાફોડ કર્યો છે. આ એપ મામલે 500થી વધુ ફરિયાદો…
બોલીવુડ એક કોલસાની ખાણ જેવું છે જેની અંદર ઉતરો તો ડાઘાથી બચવું મુશ્કેલ છે. અનેક એવી અભિનેત્રીઓ છે જે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની. ક્યારેક કરિયરમાં ઊંચો મુકામ મેળવવા છતાં અભિનેત્રીને એટલી મજબૂર કરી દેવાય છે કે તેની પાસે વેશ્યાવૃત્તિ સિવાય કોઈ રસ્તો બચતો નથી. આવા જ સમાચારો કઈક આ અભિનેત્રી વિશે આવ્યા હતા. બોલીવુડ અભિનેત્રીની કહાની અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે છે બોલીવુડ અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદની. શ્વેતાનો જન્મ 11 જાન્યુઆરી 1990ના રોજ જમશેદપુરમાં થયો હતો. બાળપણમાં જ પરિવાર સાથે મુંબઈ આવી ગઈ હતી. અભિનયમાં રસ હોવાના કારણે ફિલ્મોમાં ભાગ્ય અજમાવ્યું. બાળ કલાકાર તરીકે તક મળી. શ્વેતાએ…
હવામાન વિભાગની નવી આગાહી કહે છે કે, ગુજરાતમાં નવરાત્રી વરસાદની સંભાવના નહિવત છે. માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આવનાર દિવસોમાં ચોમાસુ વિદાય લેશે. આવનાર ત્રણ દિવસમાં ગરમી પારો પણ ઊંચકાશે. અમદાવાદ શહેરમાં આવનાર એક સપ્તાહમાં 33 થી 35 ડિગ્રી રહેવાની સંભાવના ઓક્ટોબરમાં ગરમી અને વરસાદ બંને આવશે હવામાન શાસ્ત્રીઓનો અંદાજ અને ગણતરી છે કે આ વખતે ઓક્ટોબરમાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે. ગરમી પણ વધુ રહેશે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થયો હતો. જે આ વખતે ઓક્ટોબરમાં પણ થશે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ…
તેલંગાણાના વન મંત્રી કોંડા સુરેખાએ તાજેતરમાં નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને લઈને હવે વિવાદ વધી રહ્યો છે. કોંડા સુરેખાએ નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુના છૂટાછેડા માટે કેટી રામારાવને જવાબદાર ઠેરવ્યા હતા. હવે નાગા ચૈતન્યના પિતા અને અભિનેતા નાગાર્જુન અક્કીનેનીએ કોંડા સુરેખાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. રૂથ પ્રભુના છૂટાછેડા પર તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેની, કોંડા સુરેખા દ્વારા આપવામાં આવેલા નિવેદનો પર નાગા ચૈતન્ય અને સામંથા ગુસ્સે થયા હતા. નાગાર્જુને X પર એક પોસ્ટ શેર કરતી વખતે સુરેખાના આરોપોને ખોટા ગણાવ્યા અને તેણીને પોતાનું નિવેદન પાછું ખેંચવા કહ્યું. કોંડાએ સુરેખાના આરોપોને…