દિવાળીની સફાઇ કરો ત્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરતી વસ્તુઓને દુર કરવાનું ભૂલશો નહીં, તૂટેલા ફૂટેલી વસ્તુઓનો સંગ્રહ કર્યો હોય તો તેને દૂર કરી દેજો જેથી તેમાંથી પેદા થતી નેગેટિવ એનર્જીથી બચી શકાય
1. સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીનો વાસ
દિવાળીનો તહેવાર ધનની દેવી દેવી લક્ષ્મીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરની સફાઈ અને કેટલાક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ ઉપાયો કરવાથી મન શાંત થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે
2. જૂના કપડા, તૂટેલા વાસણ
તમે જે કપડાં પહેરતા નથી તે દાનમાં આપવા જોઈએ. જૂના કપડાં ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેથી દિવાળી પહેલા તેમને ઘરની બહાર ફેંકી દો. ઘરમાં રાખેલ તૂટેલા વાસણો, ફર્નીચર અથવા અન્ય કોઈ તૂટેલી વસ્તુને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ
3. જૂના અખબારો
જૂના અખબારો, સામયિકો અથવા ઘરની અન્ય નકામી વસ્તુઓ જગ્યા લે છે અને નકારાત્મક ઉર્જા આકર્ષે છે. આ સિવાય કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. આને નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે.
4. ઘરમાં તાજા ખિલેલા ફૂલ જ રાખો
ઘરમાં તાજા ખિલેલા ફુલ જ રાખો, સૂકા ફૂલ રાખવાનું શુભ નથી માનવામાં આવતું, દિવાળી પહેલા તેને બદલીને નવા ફૂલ લગાવો અને કાળો રંગ અશુભ માનવામાં આવે છે. તેથી કાળા રંગની વસ્તુઓ ઘરથી દૂર રાખો. આ વસ્તુઓને દૂર કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે
5. જીવનની એક નવી શરૂઆતનો તહેવાર
દિવાળી એ નવી શરૂઆતનો તહેવાર છે. આ વસ્તુઓને દૂર કરીને તમે તમારા જીવનની નવી શરૂઆત કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સંપત્તિ આવે છે.
6. દિવો
દિવાળીના દિવસે ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. મંદિરને સ્વચ્છ રાખો અને દેવી-દેવતાઓને ફૂલ ચઢાવો. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.